માલિકે પોતાની 6200 કરોડની સંપતિ કર્મચારીઓને વહેંચી

હેલો દોસ્તો, આજના સમાચાર ખુબ જ મહત્વના એટલા માટે છે કારણકે એક કંપનીના માલિકે
તેની સંપત્તિ તેના કર્મચારીઓ ને વેહચી દીધી અને જયારે ઘણા માલિક તો પગાર વધારો
માંગે તો એવું કહે કંપનીમાં હમણાં કામ નથી અને રજા માંગે ત્યારે કહે તારું કામ
કોણ કરશે. અમે ઈશ્વર ને પ્રાર્થના કરીયે કે તમને પણ આવા જ boss મળે જે તમારી
કિંમત સમજે.

માલિકે પોતાની 6200 કરોડની સંપતિ કર્મચારીઓને વહેંચી


સમાચાર WhatsApp પર મેળવવા માટે જોડાવ


Join Now


સમાચાર Instagram પર મેળવવા માટે જોડાવ


Follow

ઇતિહાસમાં આજે પણ કર્ણ જેવો મળવો મુશ્કેલ છે. એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી
કર્ણ પાસે જે કંઈ માંગવામાં આવતું તે તેને આપી દેતા હતા. આજે અમે તમને કલયુગના
દાનવીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની લગભગ બધી સંપત્તિ દાન કરી દીધી
છે. હકીકતમાં, શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર ત્યાગરાજને તેમના નાના ઘર અને $5,000 ની
કાર સિવાય તેમની લગભગ તમામ સંપત્તિ કેટલાક કર્મચારીઓને દાનમાં આપી દીધી છે.
વિપ્રોના અઝીમ પ્રેમજી બાદ હવે આર થિયાગરાજનનું નામ બિઝનેસ ફિલાન્થ્રોપિસ્ટની
યાદીમાં સામેલ થાય તેવી શક્યતા છે.

આ વાંચો : વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનશે મોદીની ! જાણો 

આ વાંચો :
10 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલે છે આ બાઈક

આર ત્યાગરાજન વિશ્વના થોડા સમજદાર ફાઇનાન્સર્સમાંના એક છે. બ્લૂમબર્ગને આપેલા
ઈન્ટરવ્યુમાં 86 વર્ષીય કે થિયાગરાજને કહ્યું – મેં $750 મિલિયન (લગભગ 6,200 કરોડ
રૂપિયા) દાન કર્યું છે, પરંતુ આ કોઈ નવી વાત નથી. જોકે, આ દાન ક્યારે આપવામાં
આવ્યું તે તેમણે જણાવ્યું ન હતું.

શ્રીરામ ગ્રુપમાં 1,08,000 લોકોને નોકરી 

Shree Ram Group, ભારતની અગ્રણી Non-Banking Finance Company  (NBFC) પૈકીની
એક છે, જે ભારતના ગરીબોને trucks, tractors અને અન્ય વાહનો માટે Loan આપવાનું
કાર્ય કરે છે. આ Shree Ram Group એ આશરે 1,08,000 લોકોને insurance થી લઈને stock
broking સુધીના કામ માટે રોજગારી આપી છે. ગ્રૂપની flagship company ના શેરોએ આ
વર્ષે જુલાઈમાં 35%થી વધુનો નોંધપાત્ર  વધારો થયો હતો, જે ભારતના benchmark
stock index કરતાં 4 ગણા કરતાં પણ વધુ છે.

ક્રેડિટ હિસ્ટ્રી ન હોય તેવા લોકોને ધિરાણ આપવું એટલું જોખમી નથી

હવે થિયાગરાજન 86 વર્ષના છે અને સલાહકારની ભૂમિકામાં આવ્યા છે. થિઆગરાજને
Bloomberg ને જણાવ્યું હતું કે તેઓ એ સાબિત કરવા માટે ઉદ્યોગમાં પ્રવેશ્યા છે કે
credit history અથવા regular income ધરાવતા લોકોને લોન આપવું એટલું જોખમી નથી
જેટલું માર્કેટમાં માનવામાં આવે છે.

શ્રીરામ ગ્રુપની સ્થાપના 1974માં થઈ હતી

થિયાગરાજન RT તરીકે પ્રખ્યાત છે. તેમણે 1974માં ચેન્નાઈમાં શ્રીરામ ગ્રુપની
સ્થાપના કરી હતી. થિયાગરાજન માને છે કે ગરીબોને લોન આપવી એ સમાજવાદનો એક પ્રકાર
છે. તેણે કહ્યું, ‘હું થોડો ડાબેરી છું, પરંતુ હું સમસ્યાઓમાં ફસાયેલા લોકોના
જીવનમાંથી કંઈક ખરાબ દૂર કરવા માગું છું.’ થિગરાજન દલીલ કરે છે કે ગરીબોને લોન
આપવી એ સમાજવાદનો એક પ્રકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *