બજારમાં આવશે નવી 50 રૂપિયાની નવી નોટ. ભારતીય રિઝર્વ બેંકે આ અંગે માહિતી આપી
છે. આરબીઆઈએ કહ્યું છે કે ૫૦ રૂપિયાની નોટ પર નવા ગવર્નર સંજય મલ્હોત્રાના
હસ્તાક્ષર જોવા મળશે. મલ્હોત્રાએ ડિસેમ્બર 2024 માં શક્તિકાંત દાસની જગ્યાએ
કાર્યભાર સંભાળ્યો. રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ 6 વર્ષના
કાર્યકાળ પછી 10 ડિસેમ્બર, 2024 ના રોજ નિવૃત્ત થયા.
RBI new 50 rupee
notes: ફરી એકવાર ભારતમાં નોટોમાં ફેરફાર થશે, આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં
આવી છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ગવર્નર
સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી ૫૦ રૂપિયાની નોટ બહાર પાડશે.
શું છે આ 50 ની નવી નોટ માં ?
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ
નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની ૫૦ રૂપિયાની નોટ જેવી જ છે.
મલ્હોત્રા ડિસેમ્બર 2024 માં કાર્યભાર સંભાળશે, તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે,
જેમણે તેમનો વિસ્તૃત કાર્યકાળ પૂર્ણ કર્યા પછી રાજીનામું આપ્યું હતું.
50 રૂપિયાની જૂની નોટોનું શું થશે?
50 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવશે તો જૂની નોટ અંગે
તમારે ચિંતા કરવાની જરૂરી નથી તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ આ અંગે પણ જવાબ
આપ્યો છે. RBI એ એક નિવેદનમાં કહ્યું કે 50 રૂપિાયની તમામ જૂની નોટો ચલણમાં યથાવત
રહેશે.
મહાત્મા ગાંધી સિરીઝ નોટ શું છે?
મહાત્મા ગાંધી સિરીઝ
નોટ એ રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી એક નોટ છે, જેમાં મહાત્મા ગાંધીનું ચિત્ર
છે. તેના પર રિઝર્વ બેંકના ગવર્નરની સહી પણ છે. આ નોટોની કિંમત 15 ભાષાઓમાં લખેલી
છે.
સંજય મલ્હોત્રાની નિમણૂક ડિસેમ્બરમાં થઈ હતી
૧૯૯૦ બેચના
રાજસ્થાન કેડરના IAS અધિકારી સંજય મલ્હોત્રા ડિસેમ્બર ૨૦૨૪માં RBIના ગવર્નર
બન્યા. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે. અગાઉ, તેઓ મહેસૂલ વિભાગમાં સચિવ તરીકે
પોસ્ટેડ હતા. સંજય મલ્હોત્રા RBIના 26મા ગવર્નર છે. સંજય મલ્હોત્રા તેમના બેચના
ટોપર હતા. રિઝર્વ બેંકના ગવર્નર બન્યા પછી, તેમણે કહ્યું હતું કે, "હું રિઝર્વ
બેંકના વારસાને જાળવી રાખીશ અને તેને આગળ લઈ જઈશ."
શક્તિકાંત દાસ 6 વર્ષ પછી નિવૃત્ત થયા
રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ 6 વર્ષના કાર્યકાળ પછી 10 ડિસેમ્બર, 2024 ના રોજ નિવૃત્ત થશે, જે તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ છે. કોવિડથી લઈને વૈશ્વિક ફુગાવાના સંકટ સુધી, ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા. શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગવર્નર હતા. ડિસેમ્બર 2018 માં, શક્તિકાંત દાસ પહેલીવાર રિઝર્વ બેંકના ગવર્નર બન્યા, ત્યારબાદ 2021 માં તેમને 3 વર્ષનું એક્સટેન્શન મળ્યું.